બુધવાર, 27 ઑક્ટોબર, 2021

સંત વખતસિંહ બાપુ

જય મહાદેવ હું પરમાર ક્રિપાલ સિંહ ખોડુભા આજે હું મારા ગામ ના સંત એવા પુજ્ય વખતસંગ બાપુ ની વાત કરવા જઈ રહ્યો છું ખરેખર બાપુ વિશે કાંઈ લખવું મારુ સામર્થ્ય નથી. પણ એક આનંદ નિ અનુભુતી કે હા બાપુ મારા ગામ ના સંત છે ગૌરવ અનુભવીએ સંતો નો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો મારો જન્મ પણ નહોતો પણ જેને બાપુ દશૅન કર્યા એ ભાગ્યશાળી આત્મા હશે. એથી વિશે એ આત્મા હશે જેને બાપુ ના રાહ પર ચાલી આ આત્મા નો ઉધ્ધાર કર્યો. બાપુ નો ઉપદેશ ગ્રહણ કર્યો. સંત ક્યારેય ચમત્કાર ના કરે પણ પરચો જરુર આપે કારણ ભક્તિ પરિપક્વ થાય પછી સંકલ્પ શક્તિ થી બધુંય થાય છે. બાપુ એ મહાદેવ ની ભક્તિ કરી બાપુએ શિવજી નો પંચાક્ષર મંત્ર સિધ્ધ કર્યો અને બાપુ ની પથારી પર નાગ દેવતા ને નિહાળેલા પણ ઘણાય દાખલા છે. અને બાપુ ના સમર્થ ગુરુ પુજ્ય શિવગરજી બાપુ બાંડિયાબેલી વચન પર બાપુ એ ભક્તિ કરી. ગામ માં ઘણા ધનીકો થયા અને સમય એવો છે અત્યારે ચોથી પેઢી ના નામ પણ યાદ નથી રહેતા પણ હજી પણ કોઈ વટેમાર્ગુ આવે અજાણ્યા સાથે ભેટો થાય તો ગામ નું નામ કહેવી તો કહે " વખતસંગ બાપુ "નું ગામ નાના ભુલકાઓના મુખે પણ બાપુ નું નામ ગુંજતું " નામ રહંદા ઠક્કરા નાણા નહી રહંત કિર્તી હુંદા કોટડા પાડ્યા નહી પડંત" નામ રહી જાય છે. જીવ અને શિવ નું મિલન. શ્રધ્ધા અને પ્રેમ લાગણી બાપુ પ્રત્યે હજી પણ ઘણા ભક્તો ચાલી દર્શન આવે છે. લાગણી બાપુ પ્રત્યે અટુટ શ્રધ્ધા. સાચા મન થી બાપુ ને અરજ કરે અને આતો સંત છે. કેમ ના સાંભળે બાપુ નો સ્વભાવ નિખાલસ પ્રેમાળ બાપુ વિશે શું લખવું નિશબ્દ બની જવાય છે. પણ કમનસીબ બાપુ ના માર્ગ પર ચાલતા નથી આવડતું હજી પણ "જનની જણ તો ભગત જણ કા સંત શુરા ને દાતાર નહીતર રહેજે હૈ માં વાંઝણી તારુ મત ગુમાવીશ નૂર" વંદન છે આ ભુમી ને જેમા બાપુ જેવા સંતો નો જન્મ થાય. અને "સંત ના હોત સંસાર મે તો ઝલી જાત બ્રંહાડ જ્ઞાન કેરી લ્હેર છે ઠારે ઠામો ઠામ"

1 ટિપ્પણી:

રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...