શનિવાર, 30 ઑક્ટોબર, 2021

મોરાર સાહેબ

*મોરારસાહેબ-કૃત બારમાસી...*

*રાગ સંદેશાનો...*

*કહોને પવનસુત પ્રભુજી ક્યારે આવશે, અંતરજામી અજોધ્યાના રાય જો; જે દીન જાય હરિદર્શન વિના, તે દીન કલ્પ સમાન કહેવાય જો.*

*કારતકે કરૂણા હરિએ નવ કરી, નપટ વીસારી મેલ્યાં નીરાધાર જો; ગિરાને સુણીને ગજને ઉગારીઓ, ક્રમે અમારે કઠણ થયા કીરતાર જો. ||૧||*

*માગસરે મધુસુદન આણે મારગે, શાને નાવ્યા સુંદર વર ઘનશ્યામ જો; વાટલડી જોતા રે કહી દિન વહી ગયા, વાલા વીના નહી મનવિશ્રામ જો. ||૨||*

*પોશે આવો રે પુરવ પ્રીતું પાળવા, મુની સંગે જેમ પધાર્યા મહારાજ જો; પીનાક તોડીને પ્રભુ તમે પરણીયા, એ હેત રાખો અમ ઉપર આજ જો. ||૩||*

*મહામાસે રે મન મળવા કરે, અંગ આલીંગન લેવાને અકલાય જો; નેણાને સોહેરે નિરખવા નાથને, ચિત્ત અમારૂં ચરણકમલને ચહાય જો. ||૪||*

*ફાગણે ફાગ કેની સંગે ખેલીયે, વાલા વિના કાંઈ વાલો ન લાગે વસંત જો; ચોળી ને ચીર રે ચીત્તા જેમ પરજળે, તન આભુષણ તારૂણી તાપ તપંત જો. ||૫||*

*ચૈતરે ચૌદશ જોઉં વાટડી, રેન દીન રોતાં જોતાં જાય જો; માસ ખટ વીત્યા રે ખબરો નાવીયું, સ્થીર મન તે કેણી પેરે થાય જો. ||૬||*

*વૈશાખે વનમાળી કર્યા લઈ વાયદા, વિધાતાએ લખ્યા હશે વિજોગ જો. ||૭||*

*જેઠેને જીવન રે કેણી પેરે જાળવું, પાંજર ગળી ને રીયા છેક જ પ્રાણ જો; અવધની આશાએ અંતર રીયો આતમા, પિયુ વિના કાંઈ પલમાં કરે પ્રયાણ જો. ||૮||*

*અષાઢે ઈંદ્ર ઉમંગે આવીયો, વીધવીધ વરસ્યા વાયા સીતલ વાય જો; પૃથ્વિએ ચીર નીલાંબર પેરીયાં, તોએ નાવ્યા નગણગારા નાથ જો. ||૯||*

*શ્રાવણે સુરતેરે શિવજીને સેવીયા, વાચા પાડીને માગેલાં વરદાન જો; પ્રાણજીવન મળે તો જુગમાં જીવશું. નહિ તો પડજો પાપી પીંજર પ્રાણ જો. ||૧૦||*

*ભાદરવે ભક્તવત્સલ ભે ભાંગજો, અસુર મારીને કરજો અબલાનો ઓધાર જો; સુરનરના સંકટ છેદી પ્રભુજી સુખ કરો, જુગદીશ જુગમાં વરતાવો જેજેકારો જો. ||૧૧||*

*આસોએ આવો રે હરિ અમને તેડવા, અનુજ સહિત કંઈ અંતર આતમરામ જો; અવીચળ રાજ બીબીષણને આપીયે, ધર્મ પાળીને ચાલો અજોધ્યા ધામ જો. ||૧૨||*

*દીવાળીયે દુંદુભી દેવનાં વાગીયાં, સીતા વાળીને પધાર્યા શ્રી રામ જો; #મોરારના સ્વામી રે સહુ જનને મલ્યા, આનંદ વો અંતર હુવો આરામ જો. ||૧૩||*

#ૐતૂહી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...