ભારતનાં ઇતિહાસમાં એવું ઘણું બધુ છૂટી ગયું છે .જેને લોકો ક્યારેય જાણી નહીં શકે.કારણકે આમનાં સન્માનમાં બહુ ઓછી જગ્યાએ વર્ણન કર્યુ છે.એ બાબતમાં આપણે કહી શકીએ કે આ બહુ શરમજનક વાત છે.કે જેણે દેશને " સોને કી ચીડિયા " બનાવ્યું.
આઓ આ બાબતે આજે એમના વિશે કંઈક જાણીએ અને લોકોને જણાવીએ.
આજે હું વાત કરુ છું મહારાજ વિક્રમાદિત્ય પરમારના સન્માનમાં કે એમના માટે લોકોને બહુ ઓછા લોકોને ગ્યાન હશે.આમના જ શાસનકાળમાં ભારત " સોને કી ચિડીયા "બન્યુ હતુ .આ કાળ દેશનો સુવર્ણકાળ માનવામાં આવે છે.
મહારાજ વિક્રમાદિત્ય કોણ હતાં:-
આગળ રાજા ભરથરીના ઇતિહાસમાં આપણે જોઇ ગયા તેમ ઉજ્જૈનના રાજા ગન્ધર્વસેનનું રાજ હતુ.એમને ત્રણ સંતાનો હતા જેમાં પ્રથમ દિકરી મેનાવતી હતાં,બીજા નંબરમાં રાજા ભરથરી અને સૌથી નાના હતાં વિક્રમાદિત્ય. બહેન મેનાવતીનાં લગ્ન ધારાનગરીના રાજા પદ્મસેન સાથે કરવામાં આવ્યા.જેમનાથી એક છોકરો થયો જેનું નામ હતુ " ગોપીચંદ ".આગળ જઈને ગોપીચંદે શ્રી જ્વાલેન્દરનાથથી યોગદિક્ષા લીધી અને તપ કરવા માટે જંગલમાં ચાલ્યા ગયાં હતાં.એ પછી માતા મેનાવતીએ પણ ગુરુ ગોરખનાથજીથી દિક્ષા લઈ લીધી.
આમ ગંધર્વસેનનાં જ્યેષ્ઠપુત્ર હતા ભરથરી તેથી ભરથરીને રાજગાદી સોંપવામાં આવી.રાજા ભરથરી પોતાની રાણી પિંગળાના વિશ્વાસઘાતથી તેમણે પણ રાજપાટ નાના ભાઇ વિક્રમાદિત્યને આપી ગુરુ ગોરખનાથથી યોગદિક્ષા લઈ લીધી.તેમ રાજા વિક્રમાદિત્યે ગુરુ ગોરખનાથ પાસેથી " યોગદિક્ષા " નહીં પરંતુ " ગુરુદિક્ષા " લઈને રાજપાટ સંભાળી લીધો જેના કારણે સનાતન ધર્મની રક્ષા થઈ શકી છે.
રાજા વિક્રમાદિત્યને તે સમયે બહુજ પરાક્રમી,બળશાળી અને બુદ્ધિમાન રાજા તરીકે માનવામાં આવતા.રાજા વિક્રમાદિત્ય પોતાનું શાસન ખૂબ સુઆયોજીત રીતે ચલાવતાં હતાં. તેમના શાસનકાળમાં ભારતનું કાપડ વિદેશી વહેપારીઓ સોનાનાં વજનથી ખરીદતાં હતાં.આમ વિક્રમાદિત્યની વેપારનીતિથી ભારતમાં એટલું સોનુ આવ્યું કે ભારતમાં સોનાનાં સિક્કા ચલણમાં ચાલતા હતાં.એવી એમની વેપારનીતિ હતી.અને પ્રજા પ્રત્યેનુ પોતાનુ સમર્પણ.એમના શાસનકાળમાં દરેક નિયમ ધર્મશાસ્ત્રના હિસાબથી બનાવવામાં આવતાં.ન્યાય,રાજ,પ્રજા બધા ધર્મશાસ્ત્રના નિયમો પ્રમાણે ચાલતાં હતા.વિક્રમાદિત્યનો શાસનકાળ રામરાજ્ય પછી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
રાજા વિક્રમાદિત્યને યાદ કરવાં કેમ જરુરી છે :-
આજ ભારતની હિન્દુ સંસ્કૃતિ અને નામ ફક્ત મહારાજ વિક્રમાદિત્યના કારણેજ અસ્તિત્વમાં છે.ચક્રવર્તી અશોક સમ્રાટના(મૌર્ય) એ બુદ્ધ ધર્મ અપનાવી લીધો હતો.અને બુદ્ધધર્મ અપનાવી લીધા પછી સમ્રાટ અશોકે આશરે ૨૫ વર્ષ રાજ કર્યા બાદ ભારતમાં સનાતન ધર્મ લગભગ સમાપ્તિની નજીક આવી ગયો હતો.
જે સમયે રાજા ભરથરીનું રાજ ચાલતુ અને પિંગળાના મોહમાં રાજપાટ પર ધ્યાન નહીં હોવાથી તેમણે રામાયણ અને મહાભારતના ગ્રંથો પર ધ્યાન ના આપ્યુ. કદાચ જ કોઇને ખબર હશે કે રામાયણ અને મહાભારતનાં ગ્રંથો ખોવાઈ ગયા હતા.અથવા એવું કહી શકાય કે બૌદ્ધધર્મના લીધે કોઇકે ગાયબ કરી દીધા હતાં.મહારાજ વિક્રમાદિત્યએ આ ગ્રંથોની શોધખોળ ચાલુ કરાવી અને શોધી કાઢ્યા આ ગ્રંથોને પોતાના જ રાજગ્રંથાલયમાં સ્થાપિત કરાવ્યાં.અને નિશ્ચય કર્યો કે ભગવાન રામની જેમ રાજ ચલાવવું .તેમણે ભગવાન વિષ્ણુ અને મહાદેવનાં મંદિરો બંધાવ્યા અને આમ સનાતન ધર્મની રક્ષા કરી.
મહારાજ વિક્રમાદિત્યના ૯ રત્નોમાંના એક એવા કાલિદાસે વિક્રમાદિત્યના કહેવાથી " અભિગ્યાન શાકુન્તલમ્ " નામનો ગ્રંથ લખ્યો.જેમાં મહાન ભારતનો ઇતિહાસ વર્ણવ્યો નહીંતર ભારતના ઇતિહાસની વાત તો દૂર પણ આજે આપણે ભગવાન રામ અને ક્રુષ્ણને પણ ખોઇ બેઠા હોત.અને આમ આપણી સંસ્કૃતિની રક્ષા થઈ.
મહારાજ વિક્રમાદિત્યએ ઘણાં ગ્રંથો શોધી કાઢ્યા જે લુપ્ત થવાના આરે ઊભા હતાં.આમ પોતાના આ સંશોધન બાદ હિન્દુ કેલેન્ડરની સ્થાપના કરી.જેમાં આજે આપણે હિન્દુધર્મમાં જ્યોતિષની ગણતરી કરવામાં આવે છે.હિન્દી સંવત્સર, વાર, તિથિ, રાશિ,નક્ષત્ર અને ગોચર જે આપણે આજે પંચાંગમાં સહેલાઈથી જોઇ શકીએ છીએ જે લુપ્ત થવાની તૈયારીમાં હતાં તેને પોતાના સંરક્ષણમાં લઈ લીધા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો