ભાવનગર શહેર માં ચિત્ર મા આ બાપુ નો આશ્રમ આવેલું છે..
બાપુ હયાત હતા ત્યારે, કોઈ દર્શને જતા ત્યારે, ગોહિલવાડમાં થી કે પોરબંદર કચ્છ કેશોદ બાજુ થી આવતા લોકો દર્શને આવતા ત્યારે કહેતા કે અહીં શું આવ્યા છો, મારો બાપ તો જુનાગઢ ગોદડીયા બાપ બેઠો છે અને બગદાણામાં બજરંગદાસ બાપા બેઠા છે.. એમ કહેતા,
જ્યારે કોઈ અમદાવાદ બાજુથી જુનાગઢ બાજુથી કચ્છ-કાઠિયાવાડ બાજુથી બજરંગદાસ બાપાની દર્શનની લોકો જતા ત્યારે બજરંગદાસ બાપા કહેતા કે મારો બાપ તો રસ્તા મસ્તરામ બાપુ અને ગોદડીયા બાપુ બેઠા છે અહીં શું આવ્યો છું..
અને જ્યારે ગોદડીયા બાપુના આશ્રમે કોઈ ભાવનગર કે ગોહિલવાડમાં થી અમદાવાદ બાજુથી દર્શને જતા ત્યારે ગોદડીયા બાપુ કહેતા કે. અહીં શું આવ્યા છો મારો બાપ તો બગદાણામાં અને ચિત્રા માં બેઠો છે... સંતો એકબીજાને ખૂબ મહત્વ આપતા..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો