ગુરુવાર, 25 નવેમ્બર, 2021

સંત મસ્તરામ

🙏🏻🚩 સંત શ્રી મસ્તરામ બાપુ
    ભાવનગર શહેર માં ચિત્ર મા આ બાપુ નો આશ્રમ આવેલું છે..
    બાપુ હયાત હતા ત્યારે, કોઈ દર્શને જતા ત્યારે, ગોહિલવાડમાં થી કે પોરબંદર કચ્છ કેશોદ બાજુ થી આવતા લોકો દર્શને આવતા ત્યારે કહેતા કે અહીં શું આવ્યા છો, મારો બાપ તો જુનાગઢ ગોદડીયા બાપ બેઠો છે અને બગદાણામાં બજરંગદાસ બાપા બેઠા છે.. એમ કહેતા,
   જ્યારે કોઈ અમદાવાદ બાજુથી જુનાગઢ બાજુથી કચ્છ-કાઠિયાવાડ બાજુથી બજરંગદાસ બાપાની દર્શનની લોકો જતા ત્યારે બજરંગદાસ બાપા કહેતા કે મારો બાપ તો રસ્તા મસ્તરામ બાપુ અને ગોદડીયા બાપુ બેઠા છે અહીં શું આવ્યો છું..
    અને જ્યારે ગોદડીયા બાપુના આશ્રમે કોઈ ભાવનગર કે ગોહિલવાડમાં થી અમદાવાદ બાજુથી દર્શને જતા ત્યારે ગોદડીયા બાપુ કહેતા કે. અહીં શું આવ્યા છો મારો બાપ તો બગદાણામાં અને ચિત્રા માં બેઠો છે... સંતો એકબીજાને ખૂબ મહત્વ આપતા..
    આ સંસાર જગતમાં મનુષ્ય ની એક ઉપદેશ મળી છે કે તમે જો કોઈ ઉત્તમ મનુષ્ય ને મહત્વ આપતા થશો ત્યારે જ પરમાત્માને પામી શકશો.. અને તો તમારી અંદર શક્તિઓ જાગશે. અને હું પણું દૂર થશે. આવું સંદેશ સાધુ-સંતોના અંદરથી જીવન માંથી મળતો, પરંતુ દરેક મનુષ્ય આવી બાબતો સમજી શકતા નથી...🙏🏻🚩 સૌને વાલા બાપા સીતારામ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...