---કોઈ પણ પવિત્ર , નિર્દોષ કે નિખાલસ સબંધ ને ખરાબ ચિતરતા પહેલા ખૂબ વિચારજો...
---કોઈ પણ વ્યક્તિ....સારી છે કે ખરાબ ...તેવી ગ્રંથી બાંધતા પહેલા સો વખત વિચારજો..અને એ વ્યક્તિ નું વ્યક્તિત્વ અંગે નો નિર્ણય કોઈ બીજી જ વ્યક્તિ ની વાત પર થી લેવાનો હોય તો .
............એ વ્યક્તિ વિષે અભિપ્રાય આપનાર માણસ ...કેવો છે ??...તે પોતે શિષ્ટ છે જે અશિષ્ટ...?તેનું ખુદનું જીવન કેવું છે ??તે પોતે સમાજ માં માનનીય છે ??....પેલી વ્યક્તિ જેના માટે તે પોતાનો મત આપે છે તેની સાથે તે કોઈ દ્વેષ કે ઈર્ષ્યા ભાવ નથી ધરાવતો ને ?? તેની સાથે કોઈ વૈરવૃત્તિ નથીને ???
ઘણી વાર એવું બને કે....
કોઈ પોતાના જ મિત્ર કે સગા ની ચડતી થી કે તેના કોઈ બીજા જોડેના આત્મીય સંબંધ થી તે અદેખાઈ થકી પોતાનો અભિપ્રાય બીજાને કહી..પોતે ખુશ થતો હોય...
આવી મનોવૃત્તિ વાળા થી ચેતી ...તેના અભિપ્રાય પર થી ...કોઈ વિશે કશું વિચારશો નહીં..
....એવું કરવાથી..... કોઈ નિર્દોષ નો આત્મા દુભવી ...દુઃખી કરી...આપણે ઈશ્વરના પણ ગુનેગાર બનીએ છીએ....
શુ કામ ??
શા માટે કોઈને દુભવી આપણે ખુશી મેળવીએ ??
કદાચ તે વ્યક્તિ તેની સારપ ને લીધે કાઈ બોલશે નહીં .
પણ......
આપણે પ્રભુની નજર માં ઉતરી જઈસુ...
આ કર્મ નો જવાબ ક્યારેક તો આપવો પડસે જ.....
..........
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો